35.7 C
Gujarat
March 29, 2024
EL News

ફળો અને તેના પાંદડાના ફાયદા.

Share
Health Tips:

સ્વસ્થ શરીર માટે આહારમાં પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવો સૌથી જરૂરી માનવામાં આવે છે. દરરોજ ફળોના સેવન કરતાં આના માટે સારો વિકલ્પ કયો હોઈ શકે.

ખાસ કરીને મોસમી ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાંથી શરીર માટે જરૂરી વિટામિન્સ અને ખનિજો દરરોજ સરળતાથી મળી શકે છે.

એટલું જ નહીં, કેટલાક ફળોના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ પણ ઓછું જોવા મળ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળોની સાથે તેના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.

‘કેરીના ગોટલી ના પણ ભાવ’ એ કહેવત તો તમે સાંભળી જ હશે, ફળોની સાથે સાથે તેના પાંદડાના સ્વાસ્થ્યને થતા ફાયદા પણ તેનું ઉદાહરણ ગણી શકાય.

આયુર્વેદમાં આવા ઘણા ફળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પાંદડાનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલું ઉપચાર અને દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. ચાલો જાણીએ આવા ફળો અને તેના પાંદડાના ફાયદા વિશે.

Fruit leaves benifits, Elnews

 

જામફળના પાંદડાના ફાયદા

જામફળના પાનનો ઉપયોગ આયુર્વેદમાં અનેક પ્રકારના ફાયદા માટે કરવામાં આવ્યો છે. જમ્યા પછી જામફળની ચા પીવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થાય છે. જામફળના પાનનો અર્ક તેના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો માટે અસરકારક હોવાનું ઘણા અભ્યાસો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. પેટની સમસ્યાઓને દૂર કરવાની સાથે, તે તમારા માટે મોંના અલ્સરને ઠીક કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જાહેરાત
Advertisement

પપૈયાના પાન ખાવા

આયુર્વેદની સાથે સાથે મેડિકલ સાયન્સે પણ પપૈયાના પાનને ઘણા ગંભીર રોગોના લક્ષણો ઘટાડવા માટે ફાયદાકારક ગણાવ્યા છે. તેના સેવનથી તમને વિશેષ લાભ મળી શકે છે, ખાસ કરીને ડેન્ગ્યુ તાવ સંબંધિત લક્ષણોની સારવારમાં. ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સનું સ્તર ઘટાડવામાં પપૈયાના પાનનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય નિષ્ણાતોનું કહેવું છે કે પપૈયાના પાનનો અર્ક પણ બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

 

આંબાના પાન પણ ફાયદાકારક છે

કેરીનું ફળ દરેકને પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેના પાંદડા પણ તમને અનેક રીતે લાભ આપી શકે છે. ખાસ કરીને તે ચરબી ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. કેરીના પાનનો અર્ક તમને ચયાપચયને ઠીક કરીને શરીર પર સંગ્રહિત વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનો અર્ક ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમના સંચાલનમાં પણ ફાયદાકારક જોવા મળ્યો.


આ પણ વાંચો…માનવના મગજ-શરીરના આકારમાં થતા ફેરફારો માટે આબોહવા જવાબદાર- સંશોધન

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે વિશ્વસનીય પ્લેટફોર્મ એટલે Elnews, પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ.

Related posts

હવે હોસ્પિટલોમાં કેશલેસ સારવાર, હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ થશે મોંઘુ.

elnews

ફેફસામાં જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે કરો આ 3 કામ,

elnews

શરીરમાં યુરિક એસિડની વધુ માત્રાથી ચિંતિત છો?

elnews

1 comment

વાસણોમાં પડી ગયેલા ગંદા ડાઘાને વગર મહેનતે મિનિટોમાં સાફ કરો. - EL News August 24, 2022 at 5:43 pm

[…] આ પણ વાંચો..ફળો અને તેના પાંદડાના ફાયદા. […]

Reply

Leave a Comment

error: Content is protected !!