14.7 C
Gujarat
January 17, 2025
EL News

રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Share
Ahmedabad, EL News

રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટના હુકમના તિરસ્કાર માટે અમદાવાદ મનપા કમિશનર જવાબદાર હોવાની રજૂઆત કરાઈ હતી. રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે સુનાવણી થઈ હતી. વારંવાર હુકમો છતાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

PANCHI Beauty Studio

બેદરકારી બદલ કોઈ એક ઈન્ક્રિમેન્ટ રોકવાથી અધિકારીઓને કોઈ ફરક નથી પડતો તે પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કોર્ટના તિરસ્કર માટે સિટી એન્જનિયર જવાબદાર હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી.
કોર્ટે ટ્રાફીક અને પાર્કિંગના મુદ્દે પણ એએમસીની ઝાટકણી કાઢી હતી. જો કે, રખડતા ઢોર અને રોડ રસ્તાના બાકી કામો મામલે આગામી 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો…આ ફળ ઝડપથી ઓછું કરે છે હાઈ કોલેસ્ટ્રોલ

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. એક તરફ મનપા, નગરપાલિકાઓમાં ઢોરના ત્રાસના કારણે લોકો ઘાટલ થઈ રહ્યા છે તો ક્યાંક કેટલીક જગ્યાએ જીવ પણ લોકોનો જઈ રહ્યો છે. આ મામલે હાઈકોર્ટે અગાઉ પણ એએમસીની ઝાટકણી કાઢી હતી ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ સરકારને કામગિરીનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં થશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ થયું

elnews

વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ એવોર્ડ્સ-2023નું આયોજન

elnews

વાર્ષિક ઉત્તરોત્તર વૃધ્ધિના ફળ સ્વરુપ અદાણી પોર્ટસે ઓક્ટોબરમાં વિક્રમજનક કાર્ગો હેન્ડલ કર્યો

elnews

Leave a Comment

error: Content is protected !!