28.5 C
Gujarat
March 29, 2024
EL News

અરવિંદ કેજરીવાલ જી 20 સપ્ટેમ્બરે વડોદરા પધારશે.

Share
Vadodara :
*‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે: ગોપાલ ઇટાલિયા*
*દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી 21 સપ્ટેમ્બરે અમદાવાદ પધારશે.*
*દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય બાપુના દર્શન કરશે: ગોપાલ ઇટાલિયા*
PANCHI Beauty Studio
Advertisement
*દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી સાબરમતી આશ્રમથી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે: ગોપાલ ઇટાલિયા*
*મનીષ સિસોદિયાજી સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે: ગોપાલ ઇટાલિયા*

આ પણ વાંચો… મોદી પાંચ દિવસના પ્રવાસમાં રેવડી કલ્ચરને દાણાંદાણાં કરશે

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે વડોદરા મુકામે પધારી રહ્યા છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે.
આ સાથે જ તેમની સાથે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી પણ પરમદિવસે અમદાવાદ ખાતે પધારી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ પધારશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયાજી હાકલ કરશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

elnews

રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા

elnews

ગુજરાત એટીએસએ પાર પાડ્યું મોટું ઓપરેશન,

elnews

1 comment

જૈન રેસીપી: ડુંગળી-લસણ વગર બનાવો પનીરનું શાક - EL News September 19, 2022 at 5:11 pm

[…] આ પણ વાંચો… અરવિંદ કેજરીવાલ જી 20 સપ્ટેમ્બરે વડોદર… […]

Reply

Leave a Comment

error: Content is protected !!