13.5 C
Gujarat
January 17, 2025
EL News

ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી

Share
Shivam Vipul Purohit, India:

કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી અંતર્ગત વાગરાના 10 ગામમાં કિશોર છોકરા-છોકરી સાથે પ્રવૃતિ કરશે. લખીગામથી શરૂઆત થઈ

El news the eloquent
The Eloquent, India

ભારતકેર્સ અને અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ અદાણી ફાઉન્ડેશનના સહયોગ સાથે, ભરૂચના વાગરા તાલુકાના દહેજ વિસ્તારના 10 ગામોમાં કિશોરઆરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી પરિવર્તનશીલ કાર્યક્રમ, સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કર્યું છે.

ગત શનિવારના રોજ લખીગામ ખાતે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કારક્રમ આ વિસ્તારના સામુદાયિક સ્વાસ્થ્યને સુધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહેશે. તાલુકા સ્વાસ્થ્ય અધિકારી પ્રવિણ સિંઘ, અદાણી સિમેન્ટના પ્લાન્ટ હેડ અજય શર્મા, અદાણી ફાઉન્ડેશનના CSR હેડ સુશ્રી ઉષા મિશ્રા સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ લોંચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓની સાથે અદાણી અને ભારતકેર્સ ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય વક્તવ્ય દરમિયાન અદાણી સિમેન્ટના અજય શર્માએ આરોગ્યને વહેલી તકે પ્રાધાન્ય આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જણાવ્યું હતું કે, “આરોગ્યને ઘણીવાર અવગણવામાં આવે છે, તેમ છતાં તે આપણી સુખાકારીના સૌથી નિર્ણાયક પાસાઓમાંનું એક છે. આજે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને, તમે વધુ મજબૂત, સુખી અને વધુ પરિપૂર્ણ ભવિષ્યમાં રોકાણ કરો છો.”

તાલુકા આરોગ્ય અધિકારી પ્રવિણ સિંઘે પ્રસંગે જણાવ્યુ હતું કે, “સ્વાસ્થ્ય એ એક વ્યાપક અને મહત્વપૂર્ણ વિષય છે, જેમાં જીવનના દરેક તબક્કાનો સમાવેશ થાય છે. તે એક સતત ચક્ર છે, અને જ્યાંથી આપણે શરૂ કરવાનું પસંદ કરીએ છીએ તે આપણી યાત્રાને આકાર આપી શકે છે. ભારતકેર્સ સાથે મળીને અદાણી ટીમે એક પ્રશંસનીય પગલું આગળ વધાર્યું છે, જેનું લક્ષ્ય ભારત રાષ્ટ્રના કિશોરવયના છોકરાઓ અને છોકરીઓની સુખાકારીને પ્રોત્સાહન આપીને તેઓ સાથે ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્યનો પાયો નાખવાનું છે.”

લોન્ચ ઈવેન્ટમાં સમર્પિત સ્વાસ્થય મંચ વાનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે સમુદાય સુધી આરોગ્ય કાર્યક્રમો પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ પહેલ કિશોરોના સ્વાસ્થ્ય અને સુખાકારીને વધારવાના ચાલુ પ્રયાસોના નોંધપાત્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, તેમને તંદુરસ્ત જીવન જીવવા માટે જ્ઞાન અને સંસાધનો સાથે સશક્તિકરણ કરશે. ભારતકેર્સ, અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને અદાણી ફાઉન્ડેશન વચ્ચેનો સહયોગ વિકાસ અને સામુદાયિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ થયું

Related posts

દીનુમામાએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું!

elnews

અમદાવાદને હાથ પર પ્રતિબંધ અંગે કમિશનર જાહેર કરાયા હતા

cradmin

ઘોઘંબા તાલુકાના કાટું ગામે પેટ્રોલ પંપ ઉપર ગંભીર પ્રકારની ગેરરીતિ મળતા પેટ્રોલ પંપ સીલ

elnews

Leave a Comment

error: Content is protected !!