19.6 C
Gujarat
January 20, 2025
EL News

આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Share
Ahmedabad:

 

શ્રાવણ માંસના પવિત્ર તહેવારમાં જ અમદાવાદમાં મંદિરની બહાર ગૌવંશના ટૂકડા મળ્યા છે. આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

 

ગૌ વંશની કતલ કરીને કોઈ થેલામાં ભરીને મંદિર બહાર ફેંકી જતા લોકોની આરોપીઓને પકડવાની માંગ ઉઠી છે. આ મામલે ત્યાંના સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઈસનપુરમાં આ ઘટનાને જોતા ધીમે ઘીમે દુકાનો બંધ થઈ રહી છે.


 

ઇસનપુર, અમદાવાદ

આજે વહેલી સવારે અમદાવાદમાં ઈસનપુર વિસ્તારની અંદર ગોવિંદવાડી પાસે આ પ્રકાર શંકર ભગવાનના મંદિર પાસે બહાર ગૌ વંશના ટૂકડા મળ્યા હતા.

જે જોઈ સવારમાં મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થઈ ગયા હતા અને આ જોઈ લોકો ભડકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકના થેલામાં કાગળની અંદર વિંટેલી હાલતમાં ટૂકડાઓ રોડ પર જોવા મળતા લાગણી દુઙાતા 24 કલાકમાં આ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.

 

રાત્રીના 3 થી 5ના સમય દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન અસામાજીક તત્વો ગાયોની ચોરી કરી કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે.

છતાંય આ બાબતે કોઈ ઠોસ પગલા નથી ભરવામાં આવી રહ્યા તેવું માલધારી પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈનું કહેવું છે. ઈસનપુરની આ ઘટનાને લઈને સવારથી જ અમદાવાદમાં લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

પૂર્વ પતિએ પત્નીને HIV પોઝીટીવ લોહીનું ઈન્જેક્શન માર્યુ

elnews

ગુજરાત હવે રમત માં રહેશે અગ્રેસર

elnews

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ માર્ગ બંદ

elnews

Leave a Comment

error: Content is protected !!