30.7 C
Gujarat
April 20, 2024
EL News

રાજકોટમાં દિવાળીના ટાંણે જ ડેન્ગ્યે ભરડો લીધો. 10 કેસ નોંધાયા

Share
Rajkot :

રાજકોટ શહેરમાં પાછોતરો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતા તેમાં મચ્છરનો ઉપદ્રવ થયો હતો અને જેથી શહેરમાં મચ્છરથી ફેલાતા ડેંગ્યુએ ભરડો લીધો છે. રાજકોટ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન ફેલાય ગયું છે અને શરદી ઉધરસના 213, તાવના 41, ઝાડા ઉલ્ટીના 51 કેસો નોંધાયા હતા. રાજકોટમાં મિશ્ર હવામાન હોવાથી ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજકોટ શહેરમાં કેસો વધી રહ્યા છે. રાજકોટ છેલ્લા છ જ દિવસમાં ડેન્ગ્યુના 10 કેસો નોંધાયા હતા જયારે મલેરિયાના 6 કેસો નોંધાયા હતા.

Measurline Architects
Click Advertisement To Visit

રાજકોટમાં વધતો જતો રોગચાળાને કારણે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ 64029 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા 1652 ઘરોમાં ફોંગીગની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો… વડાપ્રધાને અમદાવાદમાં લોકાર્પણ કરતા, કહ્યું આ સમાજે બીજીવાર પીએમ બનાવ્યો

રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ડેજીના રોગને અટકાવવાના ભાગરૂપે રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, અદ્યોગિક એકમો અને રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ જોવા મળશે તો તે જગ્યાના માલિકો ભોગવતો કરનાર કે જવાબદાર આસામીની જવાબદારી ગણીને મચ્છર ઉપદ્રવ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 479 પ્રિમાઇસસને તથા રહેણાંક સહીત મચ્છર ઉપદ્રવ સબબ 528 આસામીને નોટિસ આપી રૂ. 27500નો દંડ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

કલ્યાણ વિભાગ માટે કુલ `૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

elnews

બાપુનગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે

elnews

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!