29.1 C
Gujarat
April 20, 2024
EL News

આરોગ્યપ્રેમીઓ રોજનું હજારો લીટર નારીયેળનું પાણી પી જાય છે.

Share

Health tips:

શહેરના આરોગ્યપ્રેમીઓ દરરોજ હજજારો લીલા નાળિયેરના પાણી ગટગટાવી ગયા સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુના આગમનની સાથે જ આરોગ્યવર્ધક ગણાતા લીલા નાળિયેરની માંગમાં ગોહિલવાડમાં દિન પ્રતિદિન વૃધ્ધિ થતી રહે છે. હેલ્થ પ્રત્યે અવેરનેસ વધતા ભાવનગર શહેરના આરોગ્યપ્રેમીઓ પ્રતિદિન હજજારો લીટર લીલા નાળિયેરના પાણી ગટગટાવી જાય છે.

Measurline Architects
Click Advertisement To Visit

સામાન્ય રીતે લીલા નાળિયેરની માંગ બારેમાસ રહેતી હોય છે. તેમાં ય ખાસ કરીને રોગચાળાની સીઝનમાં તો તેની ડિમાન્ડમાં સતત વધારો થતો રહે છે તેની ગત બે વર્ષ દરમિયાન કોરોનાકાળ દરમિયાન નાગરિકોને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ હતી. કોરોનાએ માથુ ઉંચકતા દેશભરમાં અનેક આરોગ્યવર્ધક દવાઓની સાથોસાથ ઈમ્યુનિટિ પાવર વધારતા લીલા નાળિયેરની માંગમાં ધરખમ વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો…બટાકા વગર બનાવો લીલા વટાણાનું સ્વાદિષ્ટ શાક

તે દરમિયાન તજજ્ઞો અને આયુર્વેદાચાર્યો કોરોના સામે ટકકર લેવા માટે નાળિયેરનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપતા જે તે વખતે નાળિયેરના ભાવ સડસડાટ રીતે આસમાને આંબ્યા હતા. જો કે, તે દરમિયાન સ્થાનિક સામાજિક સંસ્થાએ કોરોનાના દર્દી માટે વિનામૂલ્યે નાળિયેરના પાણીની પણ પ્રેરક વ્યવસ્થા કરી હતી. શિયાળામાં તો ઠંડા પીણાથી શરદી, કફ અને ઉધરસ થવાની ભીતિ હોય તે બીમારીમાં તબીબની સલાહ અનુસાર લીલા નાળિયેરનો ઉપયોગ દર્દીઓ કરી રહ્યા છે .

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જો તમે શાંતિથી ઉંઘવા માંગતા હોવ તો કરો આ 4 યોગ આસન

elnews

દાદીમાંના આ નુસ્ખા તમારા માટે સૌથી બેસ્ટ છે.

elnews

લગ્ન પહેલા વર-કન્યાને હળદર કેમ લગાવવામાં આવે છે?

elnews

Leave a Comment

error: Content is protected !!