26.3 C
Gujarat
March 29, 2024
EL News

અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત

Share
Ahmedabad :

પોલીસ કર્મીઓના આપઘાતના બનાવો અવાર નવાર બની રહ્યા છે ત્યારે અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરીવાર સાથે જીવન ટૂંકાવ્યું છે. પોલીસ પરીવારના આ સામૂહીક આત્મહત્યાના બનાવે પોલીસ બેડામાં સૌ કોઈને ઝંઝોડી દીધા છે.

જાહેરાત
Advertisement

ગોતામાં રહેતા કુલદિપસિંહ યાદવે તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે 12માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. મોડી રાત્રે પોલીસ પરીવારે દોઢ વાગ્યા આસપાસના સમયે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો…ગુજરાત LSA, DoT દ્વારા વડોદરા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ

સોલામાં આવેલ દિવા હાઈટ્સના બારમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કુલદિપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા હતા. પરીવાર સાથે સામૂહીક આપઘાત કર્યો છે ત્યારે આપઘાત કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. શાંત સ્વભાવના પોલીસ કર્મીએ આપધાત કરતા સૌ કોઈને ચિંતા વ્યાપી છે. કયા કારણથી પરીવાર સાથે આ પગલું ભરવું પડ્યું.

કુલદિપસિંહ યાદવ તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકી કે જે તેના પિતાના આંગળી પકડીને પાપા પગલી ભરતી હતી તેને સાથે લઈને કૂદવું પડ્યું. જો કે, પોલીસકર્મીના આપઘાત કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી. ત્યારે આ મામલે રિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ખાસ કરીને સોલા પોલીસ દ્વારા આ મામલે તપાસ થઈ રહી છે. આપધાત કયા કારણોથી કરવો પડ્યો એ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટના બે વેપારી સાથે થઈ લાખોની છેતરપિંડી

elnews

9th January એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

elnews

પંચમહાલ પોલીસ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું દિલ ધડક રેસ્ક્યું.

elnews

1 comment

કરોડપતિ બનવા માટે અહીં લગાવો રૂપિયા - EL News September 7, 2022 at 1:33 pm

[…] આ પણ વાંચો… અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે… […]

Reply

Leave a Comment

error: Content is protected !!