25.3 C
Gujarat
March 24, 2023
EL News

રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

Share
Rajkot:

રાજકોટ મહાનગર પાલિકાની અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતાં જુનિયર ક્લાર્ક, આરોગ્ય શાખાના ફિમેલ હેલ્થવર્કર અને લેબ ટેક્નિશિયન સહિત ૩૭ કર્મચારીઓએ અંગતકારણોસર અને બીજા સ્થળે સારી નોકરી મળતાં સ્વૈચ્છીક રાજીનામું આપી દીધું છે. તમામના રાજીનામા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા મંજૂર કરી લેવામાં આવ્યા છે.

PANCHI Beauty Studio
Advertisement

આ પણ વાંચો…CM પટેલનું મંત્રી મંડળ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ, 3 પાટીદાર, 7 ઓબીસી, 1 મહિલા મંત્રી, 10ના પત્તા કપાયા.

 

સાથોસાથ બોન્ડની રકમ જપ્ત કરી લેવા આદેશ આપવામાં આવ્યો છે. મહાપાલિકાની અલગ-અલગ શાખાઓમાં જોડાયેલા ૨૨ જુનિયર ક્લાર્ક, ૧૨ ફિમેલ હેલ્થવર્કર, ૨ લેબ ટેક્નિશિયન અને એક દબાણ હટાવ અધિકારીએ માત્ર નોકરીમાં છોડાયેલા છ મહિનાની અંદર જ સ્વૈચ્છીક રાજીનામું દીધું છે. તેઓએ ચૂંટણી પહેલા જ રાજીનામું ધરી દીધું હતું પરંતુ મ્યુનિ.કમિશનર દ્વારા ગત 8મી ડિસેમ્બરના રોજ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું.

નોકરીમાં જોડાયા ત્યારે તેઓની પાસેથી રૂ.૫૯,૮૫૦ થી રૂ.૯૪,૦૦૦ સુધીના બોન્ડ લેવામાં આવ્યા હતાં. નિયત સમય સુધી નોકરી ન કરતાં તેઓએ ભરેલી બોન્ડની રકમ જપ્ત કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ખાલી પડેલી જગ્યા ભરવા માટે હવે આગામી દિવસોમાં નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે જુનિયર ક્લાર્કની ભરતી બાદ વેઇટીંગમાં રહેલા ઉમેદવારોને સરકારી નોકરીની તક વધુ એકવાર મળશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પંચમહાલ જિલ્લામા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને ઠેર ઠેર મળી રહ્યો છે જન પ્રતિસાદ, ગુજરાતે દરેક ક્ષેત્રોમાં વિકાસ અને ગુજરાતીઓના પુરુષાર્થ થકી વિશ્વ ફલક ઉપર આપી ઓળખ.

elnews

રાજકોટમાં રિસામણે ગયેલ પત્નીને લેવા જતા ખૂની હુમલો

elnews

ગુજરાતની 6 ટીપીમાં 26 હજાર EWS આવાસો બનાવવામાં આવશે.

elnews

Leave a Comment

error: Content is protected !!