28.5 C
Gujarat
March 29, 2024
EL News

નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓ તૈયાર

Share
Rajkot :

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૧૯મી ઓકટોબરના રોજ રાજકોટ ખાતે પધારનાર છે. જેમના અદકેરાં સ્વાગત માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૧૯ ઓકટોબરના રોજ રેસકોર્ષ સાથે યોજાનારા કાર્યક્રમ સ્થળ ઉપર પાંચ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યા છે. સભા મંડપમાં કાર્યક્રમ નિહાળવા માટે ૧૪ x ૮ ની ૩૨, ૨૦ x ૪૦ ની ૪ અને ૬૦ x ૨૦ ની ૧ એલ.ઈ.ડી સ્ક્રીન સહિત કુલ ૩૭ જેટલી એલ.ઈ.ડી સ્ક્રીન લગાવવામાં આવી છે.

Measurline Architects
Click Advertisement To Visit

સાઉન્ડ સિસ્ટમ, વીજપુરવઠો ન ખોરવાઈ તે માટે જનરેટર, પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ વ્યવસ્થા, શૌચાલય સહિતની દરેક આનુસંગિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પ્રધાનમંત્રીશ્રીની સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોય તેઓને મુશ્કેલી ન થાય તે માટે સેક્ટર વાઈઝ ૭૫ જેટલા લોકોની નિમણૂંક કરવામાં આવી છે. તથા તેઓને તાલીમ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો… ગાંધીનગરના VIP જ-રોડ સહિત 6 રસ્તાઓ અવરજવર માટે બંધ

વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી કરેલાં આયોજન મુજબ થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીનીંગ ડાયરેકટર વરૂણકુમાર બરનવાલ, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા ધીમંતકુમાર વ્યાસ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈને નિરિક્ષણ કર્યું હતું. રાજકોટમાં વિકાસની ગતિ વધુ ઝડપ પકડે તે માટે વડાપ્રધાનના હસ્તે ૧૯મી ઓકટોબોરના રોજ રંગીલા રાજકોટને કરોડોના વિકાસ કામોની ભેટ મળશે. ત્યારે રાજકોટની જનતામાં પણ પી.એમ. મોદીજીને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વહિવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતના 109 તાલુકામાં સવારે 6 કલાક સુધીમાં વરસાદ જોવા મળ્યો, આ વિસ્તારમાં ફરી આગહી…

elnews

NRI હવે ભારતમાં રહેતા તેમના પરિવારના સભ્યો તરફથી બીલ ચૂકવી શકશે.

elnews

રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું…

elnews

Leave a Comment

error: Content is protected !!