34.9 C
Gujarat
April 20, 2024
EL News

સુરત: કરોડોના ક્રિકેટ સટ્ટાના રેકેટમાં મસમોટો ખુલાસો!

Share
Surat , EL News

કરોડોના ક્રિકેટ સ્ટ્ટાના રેકેટની તપાસ મુંબઈ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતના સુરત સુધી પહોંચી શકે છે. 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પીસીબીની ટીમો મુંબઈ અને રાજસ્થાન ગઈ હતી. મુંબઈમાં એક આરોપી દિનેશ શિવગણેની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, દિનેશ શિવગણે ક્રિકેટ સટ્ટાના રેકેટમાં સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ મેનેજ કરવાનું કામ સંભાળતો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટાના રેકેટના મૂળિયા સુરતમાં હોવાનો સનસનખેજ ખુલાસો થયો છે.

Measurline Architects

ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક મુંબઈ, દિલ્હી, રાજસ્તાનથી દુબઈ સુધી 

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પીસીબીએ દરોડો પાડી માધવપુરામાં આવેલા સુમેલ બિઝનેશ પાર્કની એક ઓફિસમાંથી કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પોલીસે 198 સિમકાર્ડ, 538 બેંક એકાઉન્ટની પાસબુક-એટીએમ કાર્ડ પણ કબજે કર્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક મુંબઈ, દિલ્હી, રાજસ્થાનથી લઈને દુબઈ સુધી ફેલાયલું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ પણ વાંચો…GMDC ગ્રાઉન્ડ પર આરએસએસનું થશે શક્તિ પ્રદર્શન

મુંબઈમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ

માહિતી મુજબ, રૂ.10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં વધુ તપાસ માટે પીસીબીએ અલગ-અલગ ટીમો બનાવી હતી. એક ટીમ રાજસ્થાન તો બીજી ટીમ મુંબઈમાં તપાસ માટે ગઈ હતી. મુંબઈમાં ટીમે દિનેશ શિવગણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ક્રિકેટ સટ્ટાના રેકેટમાં સિમકાર્ડ ભેગા કરવાનું અને બેંક ખાતા મેનેજ કરવાનું કામ દિનેશ શિવગણે કરતો હતો. ત્યારે જાણવા મળ્યું છે કે આ કેસમાં એક ટીમ ગુજરાતના સુરત શહેરમાં પણ પહોંચી છે. ક્રિકેટ સટ્ટાના રેકેટના મૂળિયા સુરતમાં હોવાની શંકા છે. મીડિયા અહેવાલ મુજબ, આ કેસમાં મૂળ કચ્છ ગાંધીધામના રહેવાસી અમિત મજેઠિયાનું નામ પણ સામે આવ્યું છે. પહેલા અમિત દુબઈમાં હોવાની ચર્ચા હતી ત્યારે હવે તે ગુજરાતમાં હોવાની માહિતી પોલીસને મળી છે. આથી અમિતની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બાંડીબાર ગામમાં સૌપ્રથમવાર શ્રી મદનમોહનજી મંદિર ટ્રસ્ટ બાંડીબાર દ્વાર રક્તદાન.

elnews

કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ,

elnews

રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી..

elnews

Leave a Comment

error: Content is protected !!