38.2 C
Gujarat
April 25, 2024
EL News

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

Share
Vadodara, EL News

મેડિકલ ઇન્શ્યોરન્સને લગતા એક કેસમાં વડોદરા ગ્રાહક ફોરમે મોટો ચુકાદો આપ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, ગ્રાહક ફોરમે મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને દર્દીને ચુકવણી કરવાનો આદેશ આપતા કહ્યું કે, મેડિકલ ઇન્શ્યોરન્સ માટે દાવો કરવા માટે જરૂરી નથી કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવ્યો હોય.

Measurline Architects

મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરામાં રહેતા રમેશચંદ્ર જોષીએ વર્ષ 2017માં ગ્રાહક ફોરમમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે મુજબ, તેમની પત્નીને વર્ષ 2016માં ડર્માટોમાયોસિટિસની બીમારીનું નિદાન થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં તેમની પત્નીની સારવાર કરાઈ હતી. જો કે, સારવાર બાદ બીજા દિવસે રમેશચંદ્રની પત્નીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો…રેસિપી / વધેલા ભાતમાંથી બનાવો પનીર ફ્રાઈડ રાઈસ

દાવો કરતા ઇન્શ્યોરન્સ કંપનીએ ચુકવણી કરી નહોતી

પરંતુ, જ્યારે રમેશચંદ્ર ઇન્શ્યોરન્સ માટે દાવો કર્યો તો ઇન્શ્યોરન્સ કંપનીએ ચુકવણી કરી નહોતી. આથી રમેશચંદ્રે ગ્રાહક ફોરમનો દરવાજો ખટખટાવ્યો હતો અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મામલે સુનાવણી કરી ગ્રાહક ફોરમે દર્દીને ચુકવણી કરવા કંપનીને આદેશ આપ્યો છે અને સાથે કહ્યું છે કે, મેડિકલ ઇન્શ્યોરન્સનો દાવો કરવા માટે જરૂરી નથી કે કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા તેને માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન કામગીરી

elnews

રાજકોટના પાંચ જિલ્લામાંથી વ્યાજંકવાદનો સફાયો

elnews

ધી સંતરામ સખી મંડળ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો મોકૂફ…

elnews

Leave a Comment

error: Content is protected !!