26.6 C
Gujarat
September 28, 2023
EL News

શું દેશમાં ફરી આવશે કોરોનાની લહેર?

Share
Health tips, EL News

દેશમાં વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસના દૈનિક આંકડાઓમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ થઈ ગયું છે અને તેના કારણે આજે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની બેઠક પણ યોજાવા જઈ રહી છે.રવિવારે કોરોના સંક્રમણના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આજે આ સંખ્યા 918ની નજીક છે. આ દરમિયાન ચાર લોકોના મોત પણ થયા છે જે ખતરાની ઘંટડી છે.

Measurline Architects

દૈનિક કોરોના કેસોમાં વધારાને કારણે દેશમાં કુલ સક્રિય કોરોના કેસનો આંકડો 6,350ને પાર થઈ ગયો છે. જેના કારણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

આ પણ વાંચો…અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ

સુધારેલી માર્ગદર્શિકા જણાવે છે કે જ્યાં સુધી બેક્ટેરિયલ સંક્રમણની શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઈએ. અન્ય સ્થાનિક સંક્રમણ સાથે COVID-19 ના સહ-સંક્રમણની શક્યતા ધ્યાનમાં લેવી જોઈએ.

તમને જણાવી દઈએ કે સૌથી વધુ સક્રિય કેસ કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી સામે આવ્યા છે. કેન્દ્રએ તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની સાથે ત્રણ રાજ્યોને પરીક્ષણ, ટ્રેક, સારવાર અને રસીકરણની પાંચ ગણી વ્યૂહરચનાનું પાલન કરવાની સલાહ આપી છે કારણ કે આ રાજ્યોમાં કોવિડ-19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દરરોજ સવારે આદુનું પાણી પીવાથી મળશે તમને વિવિધ લાભ, જાણો વિસ્તારથી

elnews

ઉનાળામાં આ 5 પીણાં તમને ગરમીમાં પણ ઠંડક આપશે

elnews

તુલસીના પાનમાં મળતું Acid મોટી બીમારીઓ કરે છે દૂર

elnews

Leave a Comment

error: Content is protected !!