36.6 C
Gujarat
April 20, 2024
EL News

દહી સ્વાસ્થ્ય માટે છે દમદાર પણ રાત્રે સેવન કરવાથી થઈ શકે…

Share

Health Tips:

જેમ ‘છાસને ધરતી પરનું અમૃત ‘કહેવામાં આવે છે એમ દહીં પણ અમૃત સમાન છે.સાંજ સુધી દહીં શરીર માટે અમૃત છે. પરંતુ રાત્રે દહીં નું સેવન ખોટું છે.તો આવો જાણીએ. દહીંનું સેવન કરવાથી તમારું પાચન સારું રહે છે, આ સાથે દહીં એ ઓછી કેલરીવાળો ખોરાક છે.દહીં કેલ્શિયમ, પ્રોટીન જેવા ગુણોથી ભરપૂર છે, તેથી રોજ દહીંનું સેવન કરવાથી હાડકાં, દાંત મજબૂત રહે છે.

Measurline Architects
Click Advertisement To Visit

દહીં ખાવાથી મેટાબોલિઝમ પણ ઝડપી બને છે, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે દહીં એ ઓછી કેલરીવાળો ખોરાક છે આનાથી તમે ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકો છો. દહીં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. દહીં પ્રોબાયોટિક છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો…એશિયન દાનવીરોની યાદીમાં ગૌતમ અદાણીનું નામ

દહીં તમારા ખોરાકને સારી રીતે પાચન કરવામાં અને તેમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. એટલા માટે દહીં પેટની સમસ્યાઓથી દૂર રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમે સાંજના સમયે દહીં આરોગી શકો છો. દહીં એ ડેરી પ્રોડક્ટ છે જે પ્રોટીન, કેલ્શિયમ, ફોલિક એસિડ, આયર્ન, બી વિટામિન્સ જેવા ઘણા આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે.

જો તમે બપોરે દહીંનું સેવન કરી શકતા નથી, તો તમે સાંજે પણ દહીં ખાઈ શકો છો. તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ કોઈ દિવસ રાત્રે દહીં આરોગવું નહિ તે રોગ ને જન્મ આપશે.જમ્યા પછી તરત સૂઈ જવાના કારણે દહીંનુ યોગ્ય પચન થતું નથી. જો બની શકે તો દહીંમાં ચપટી મીઠું કે ચપટી ખાંડ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખીને ખાઈ શકાય છે. જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

તમારા પેટ પર સૂવાથી ઘણું નુકસાન થઈ શકે છે

elnews

અસ્થમાના દર્દીઓએ ઉનાળામાં આ જ્યુસ અવશ્ય પીવું

elnews

સરળતાથી દૂર થશે વધારાની ચરબી, જિમ જવાની જરૂર નહીં પડે

elnews

Leave a Comment

error: Content is protected !!