36.8 C
Gujarat
May 5, 2024
EL News

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે,

Share
Ahemdabad, EL News

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ઉજવણી માટે હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે રવિવારે જળયાત્રાની ઉજવણી કરાશે. આથી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદી કિનારે પૂજા કરવામાં આવશે.
Measurline Architects
ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન

જળયાત્રા માટે 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ કળશથી ભગવાનનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ ષોડશોપચાર પૂજા વિધી કરાશે. માહિતી મુજબ, આવતીકાલે યોજાનારી જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, મેયર કિરીટ પરમાર સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાનના મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું 

આ પણ વાંચો… Easy Snack: ચણાની દાળની ચિપ્સ કોલેસ્ટ્રોલ ઘટાડે છે,

આ શોભાયાત્રામાં 15 હાથી સામેલ થશે અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે. માહિતી મુજબ, આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. આ થીમ પર શોભાયાત્રા માટે ડ્રેસકોડ રહેશે, જેના માટે 4 હજાર સાડી અને 2 હજાર ડ્રેસ તૈયાર કરાયા છે. ઉપરાંત, 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને માતા જશોદા તૈયાર થશે. 72 વર્ષ બાદ આ વખતે ભગવાન નવા રથમાં નગરચર્ચાએ નીકળશે.  નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ મુસાફરો માટે ખુશીના સમાચાર

elnews

એક યુવકે માનસિક બિમારીના કારણે આપઘાત કરી લીધો હતો

elnews

સુરતમાં ગૅસ કટરથી ATM કાપી 17.70 લાખ રૂપિયાની ચોરી

elnews

Leave a Comment

error: Content is protected !!