27.7 C
Gujarat
May 7, 2024
EL News

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા

Share
Vadodara, EL News

વડોદરાના પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો એક બંધ મકાનના તાળા તોડી રૂ. 4.40 લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ધોળા દિવસે ચોરીનો બનાવ થતા ગામજનોમાં ડરનો માહોલ છવાયો છે.

Measurline Architects

મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં પરિવાર સાથે રહેતા નિરાલીબેન પટેલ બપોરના સમયે પોતાના મકાનને તાળું મારીને ગામમાં રહેતા તેમના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી તેમાં પ્રવેશી સામાન વેર વિખેર કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ 4.40 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. નિરાલીબેને જ્યારે પરત આવીને જોયું તો તાળું તૂટેલું મળ્યું હતું અને ધોળા દિવસે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

આ પણ વાંચો…મુખ્તારને 10 વર્ષની અને અફઝલ અંસારીને 4 વર્ષની સજા

ચોરોને પકડવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઈ

આ મામલે નિરાલીબેને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી રહી છે. ધોળા દિવસે મકાનમાં ચોરી થયાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. ગામજનોમાં પણ તસ્કરોનો ડર સતાવી રહ્યો છે. પોલીસ દ્વારા જલદી ચોરોને પકડવામાં આવે તેની ગામજનો માગ કરી રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદની મેટ્રોમાં પાનની પિચકારી પર 5000 રુપિયાનો દંડ

elnews

આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

elnews

મહેસાણા: તંત્ર કોઈ એક્શન લેશે કે કર્મચારીઓ ને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા મજબુર કરશે…

elnews

Leave a Comment

error: Content is protected !!