31.7 C
Gujarat
May 18, 2024
EL News

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી,

Share
 Ahemdabad, EL News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી  ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. રેલવે સ્ટેશનોને વધુ સુવિધાજનક અને અત્યાધુનિક બનાવવામાં આવશે.

Measurline Architects

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, “રેલવેમાં જેટલું કામ થયું તેનાથી દરેક જણ ખુશ છે અને આશ્ચર્ય પણ છે. દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશો વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. આ 9 વર્ષોમાં, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં આપણા દેશમાં વધુ રેલવે પાટા નાખવામાં આવ્યા છે. માત્ર છેલ્લા વર્ષમાં ભારતમાં વધુ રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે.

25 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ 

ઐતિહાસિક અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં રેલવે સ્ટેશનોના શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવશે. અગાઉ શનિવારે, વડાપ્રધાને આ પગલાંની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ‘ઇઝ ઑફ લિવિંગ’ ને વેગ આપશે અને આરામ તેમ જ સુવિધા વધારશે. પીએમ મોદીએ કહ્યું કે, આશરે રૂ. 25,000 કરોડના ખર્ચે કરવામાં આવનાર પુનઃવિકાસ દેશમાં જે રીતે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના કરવામાં આવે છે તે રીતે ક્રાંતિ લાવશે.

21 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ

આ પણ વાંચો… અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કામગિરી 2027 માં પુરી થશે

આજે પશ્ચિમ રેલવેના તમામ 23 રેલવે સ્ટેશનોનું અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષા પ્રમાણે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને આધુનિક સુવિધાઓ અને સ્વચ્છતા સાથેના રેલવે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાં કુલ 87 રેલવે સ્ટેશનની પસંદગી કરાઈ હતી, જેમાંથી 21ના કામનો આજે શિલાન્યાસ કરવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે

elnews

ગોધરા શહેરનું ગૌરવ, પૃથ્વીરાજ ચૌહાણ જેમને અમદાવાદ ખાતે યોજાયેલ મોડલિંગ શો માં Mr. Walk For Impress 2023 નું tiltle જીતીને ગોધરાનું ગૌરવ વધાર્યું છે.

elnews

બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીરથી 100ટકા ભરાયો.

elnews

Leave a Comment

error: Content is protected !!