30.2 C
Gujarat
May 12, 2024
EL News

50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો

Share
Rajkot, EL News

ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો કોઝ-વે ઓવરફ્લો થતા તેના પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી. જો કે, હવે 50 દિવસ બાદ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે અને તાપી નદી પર બનેલો છે.

Measurline Architects

અગાઉ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને તેના કારણે  કોઝ-વે પણ ઓવરફ્લો થયો હતો.  કોઝ-વે ની સપાટી 6 મીટર કરતા વધુ પાણીનું વહનને જોતા તંત્ર દ્વારા આ કોઝ-વેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, હવે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. જળસ્તરમાં ઘટાડો થતા કોઝ-વે પરનું જોખમ પણ ઘટ્યું છે.

આ પણ વાંચો…શેરબજારની શરૂઆત,ખુલતાની જ 250 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ હતી

આથી છેલ્લા 50 દિવસથી બંધ  કોઝ-વેને હવે ફરી લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે. આથી કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે અવરજવર માટે કોઝ-વે ખુલી જતા સ્થાનિક લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ કોઝ-વે પરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકો અવરજવર કરતા હોય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મારા પતિ સાથે મારા સગા ભાભી નું અફેર છે.

elnews

ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ 24મી ફેબ્રુઆરીએ રજૂ થશે

elnews

અમદાવાદમાં જિલ્લા સંકલન ,ફરિયાદ નિવારણ સમિતિની બેઠક

elnews

Leave a Comment

error: Content is protected !!