40.6 C
Gujarat
May 1, 2025
EL News

સુરત: પીપલોદમાં કરંટ લાગતા કડિયા કામ કરતા યુવકનું મોત

Share
 Surat, EL News

સુરતમાં કરંટ લાગતા વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના પીપલોદ વિસ્તારમાં કડિયા કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવકના મોતથી બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે પોલીસે હાલ અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Measurline Architects
સુરતના પીપલોદ વિસ્તારમાં પત્ની અને બે દીકરા સાથે રહેતો મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી 27 વર્ષીય સુખરામ દેવકા છેલ્લા આઠ વર્ષથી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ તેઓ પીપલોદ વિસ્તારમાં કડિયા કામ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે સુખરામ કડિયા કામ કરવા માટે ગયો હતો. ત્યારે કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. કરંટ લાગવાના કારણે સુખરામનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો…  રાજકોટ: પોતાને કલ્કી અવતાર માનનારા રમેશચંદ્રે ફેફરે

સુખરામને પરિવારજનો અને સાથી મજૂરો સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સુખરામના મોતથી બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારમાં શોકનો માહોલ છે. સ્થાનિક પોલીસે ​​​​​​​સુખરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ: કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો

elnews

ભરતી: પોસ્ટ એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ.

elnews

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે,

elnews

Leave a Comment

error: Content is protected !!