30.6 C
Gujarat
May 13, 2024
EL News

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Share
 Junagadh, EL News

ત્રીજા રાઉન્ડના વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના કારણે ભારે તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જૂનાગઢ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ.
PANCHI Beauty Studio
ગુજરાતના જૂનાગઢમાં દાતા રોડ પર 2 માળની ઈમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. જૂનાગઢના કડિયાવાડમાં એક મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઇમારત ધરાશાયી થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, શનિવારે (22 જુલાઈ) રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

આ પણ વાંચો…  શું મસ્ક ટ્વીટર પરથી ચકલીનો લોગો હટાવશે, આ વાતે જગાવી મોટી ચર્ચા

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચારેબાજુ માત્ર કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત તમામ રાહત વાહનો સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પણ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. જેસીપીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા એ પ્રાથમિકતા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ:વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

elnews

અદાણી ગ્રીને 750 મેગાવોટના પાવર પ્રોજેક્ટ્સ માટે આંતર રાષ્ટ્રીય બેંકો પાસેથી USD 400 મિલિયનની લોન સિક્યોર કરી

elnews

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધિત આદેશો જારી કર્યા

elnews

Leave a Comment

error: Content is protected !!