31.2 C
Gujarat
September 30, 2023
EL News

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Share
 Junagadh, EL News

ત્રીજા રાઉન્ડના વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના કારણે ભારે તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જૂનાગઢ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ.
PANCHI Beauty Studio
ગુજરાતના જૂનાગઢમાં દાતા રોડ પર 2 માળની ઈમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. જૂનાગઢના કડિયાવાડમાં એક મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઇમારત ધરાશાયી થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, શનિવારે (22 જુલાઈ) રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

આ પણ વાંચો…  શું મસ્ક ટ્વીટર પરથી ચકલીનો લોગો હટાવશે, આ વાતે જગાવી મોટી ચર્ચા

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચારેબાજુ માત્ર કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત તમામ રાહત વાહનો સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પણ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. જેસીપીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા એ પ્રાથમિકતા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

યુવકની કરામત, વેસ્ટ લાકડામાંથી ઈકોફ્રેન્ડલી ઘડીયાળો બનાવી

elnews

રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ચિકાર આવક

elnews

50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી

elnews

Leave a Comment

error: Content is protected !!