39.1 C
Gujarat
May 2, 2024
EL News

શ્રાદ્ધમાં પિતૃઓ માટે ખીર બનાવવાની સાચી રીત

Share
Food Recipes :

પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પિતૃપક્ષ 10 સપ્ટેમ્બર 2021થી શરૂ થયો છે અને પિતૃપક્ષ 25 સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થશે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ માટે ખીરનો પ્રસાદ બનાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ખીર ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ આપે છે. આવી સ્થિતિમાં શ્રાદ્ધ દરમિયાન બનેલી ખીર કેવી રીતે બનાવવી તે જાણીએ.

PANCHI Beauty Studio
Advertisement

ખીર બનાવવા માટેની સામગ્રી-

એક લિટર દૂધ
– બે વાડકી મખાના
– ચાર ચમચી ખાંડ
– બે ચમચી ઘી
-બદામ

-કાજુ
– કિસમિસ
પાવ કટોરી બૂરા (સૂકું નારિયેળ)
– એલચી પાવડર
-અડધી ચમચી કેસરના ટુકડાને દૂધમાં પલાળી રાખો.

આ પણ વાંચો… ડાયાબિટીસના દર્દીઓને શાકને ઉકાળીને પીવાના ફાયદા

ખીર બનાવવાની રીત-

ખીર બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને મખાનાને તળી લો. ત્યાર બાદ શેકેલા મખાનાને થાળીમાં કાઢીને તેને ઠંડા કરીને ક્રશ કરી લો. હવે દૂધને ઉકળવા દો, જ્યારે દૂધ ઉકળે ત્યારે તેમાં મખાનાનો ભૂકો નાખીને તેને પકાવો અને ખાંડ ઉમેરો. ખીરને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં કાજુ-બદામ, નારિયેળ પાવડર, કિસમિસ, એલચી અને કેસર ઉમેરો. તમારી ખીર તૈયાર છે. ગરમ પ્લેટમાં સર્વ કરો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દશેરા પર બનાવવા માટે ટેસ્ટી કલાકંદ રેસીપી

elnews

સ્પેશિયલ રેસિપી / વરિયાળીના શરબતથી તમારી તરસ છીપાવો

elnews

વટાણાની છાલમાંથી સ્વાદિષ્ટ શાક બનાવો

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!