16 C
Gujarat
January 18, 2025
EL News

AMC શારદાબેન હોસ્પિટલમાં ખોરાકમાં મુદ્દે તપાસ કરી રહી છે

Share
Ahmedabad, EL News

સારદાબેન હોસ્પિટલમાં ભોજનની અંદર ગરોળી નિકળવા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ થકી તપાસ કરવામાં આવશે. ક્યાં અને કેવી રીતે બેદરકારી રહી ગઈ તે બાબતે તપાસ  કરવામાં આવશે.

Measurline Architects

સર્જિકલ વિભાગની અંદર સારવાર લઈ રહેલા દર્દીને ભોજન અપાયું હતું. ત્યારે આ ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી ત્યારે આ મામલો ગરમાયો હતો. આ પ્રકારે ભોજનમાં ગરોળી આવતા જ લોકોની હેલ્થ સાથે ચેડા થાય છે.

આ પણ વાંચો… મગજની નસ કેમ અને કેવી રીતે ફાટે છે? જાણો કારણ

પેશન્ટ્સની દરેક પ્રકારની દરકરાર નાદુરસ્ત સમયે રાખી દર્દી દ્વારા મંગાવવામાં આવતું યોગ્ય ફૂડ મળી રહે તેવી જવાબદારી હોસ્પિટલ તંત્રની હોય છે. ત્યારે ભોજનમાં જ આ પ્રકારે મરેલી ગરોળી નિકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ પણ ધીમી ગતિએ થઈ રહી છે. તેવામાં હવે કોર્પોરેશને આ તપાસ તેજ કરી છે. જે માટે સીસીટીવી ભોજનમાં મરેલી ગરોળી કેવી રીતે આવી તે મામલે મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જલદીથી જ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

elnews

પંચમહાલ ની વિધાનસભા બેઠકો નો ચિતાર..

elnews

અમિત શાહનો ફરી બે દિવસનો ગુજરાત પ્રવાસ..

elnews

Leave a Comment

error: Content is protected !!