EL News

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો

Share
Ghandhinagar:

15મી વિધાનસભા સત્રના પ્રથમ દિવસની શરૂઆત ધમાકેદાર રહી હતી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના 17 ધારાસભ્યોએ સત્રના પ્રથમ રાઉન્ડમાં વૉકઆઉટ કર્યું હતું. શાસક પક્ષ દ્વારા નિયમોના ઉલ્લંઘનનો પમ આરોપ લગાવવામાં આવ્યો હતો.

PANCHI Beauty Studio
Advertisement

રાજ્યપાલના આભાર પ્રવચનની નકલ ન મળવાને કારણે આભારની દરખાસ્ત અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે સરકારના બિલને પ્રાધાન્ય આપીને આભાર પ્રસ્તાવ પર બીજા દિવસે ચર્ચા કરવા વિનંતી કરી. જો કે, હંગામા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ આ કારણે કર્યું હતું.

આ પણ વાંચો…સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવતા કહ્યું કે, બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ચર્ચા વિશે કોઈ માહિતી નથી. નિયમ મુજબ આભાર પ્રસ્તાવ માટે 2 થી 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ નિયમોનો ભંગ કરીને બે કલાકમાં ચર્ચાનો અંત આવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ વોકઆઉટ બાદ સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે, સલાહકાર સમિતિની રચના કરવામાં આવી નથી. આ વિના વિધાનસભાનું કામકાજ નક્કી થઈ શકે નહીં. એ વાત સાચી છે કે સંસદીય કાર્ય મંત્રીને અમારી ચિંતા છે પરંતુ તેમણે નિયમોનું પાલન કરવાની પણ જરૂર છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોંગ્રેસના નેતા નક્કી કરી શક્યા નથી. તેથી કોઈની સાથે વાત કરવી શક્ય નથી.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

તરન્નુમ પઠાણ ગુજરાત જાયન્ટ્સમાં પોતાની આદર્શ હેઠળ રમવા ઉત્સુક

elnews

કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ,

elnews

અમદાવાદની આ બેઠકો પર ભાજપને જીતવા માટે પડે છે ફાંફાં

elnews

Leave a Comment

error: Content is protected !!