33.6 C
Gujarat
May 21, 2025
EL News

વડોદરા ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ આપ્યું રાજીનામું

Share
Vadodara, EL News

પ્રદેશ મહામંત્રી પ્રદિપ સિંહ વાઘેલાના રાજીનામાં બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા ગુજરાત ભાજપના રાજકારણમાં નવી ચર્ચાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદેશ કક્ષાએથી તેમનું રાજીનામું સ્વિકારીને મહામંત્રીની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે.

Measurline Architects

વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. અનેક તર્ક વિતર્ક તેમના રાજીનામાં બાદ સેવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વડોદરાના મેયર પણ રહી ચુક્યા છે. જો કે, તેમને મહામંત્રી તરીકે રાજીનામું કેમ આપ્યું તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી. જે રીતે ભાજપમાં અત્યારે રાજીનામામાં દોર ચાલી રહ્યો છે અને આંતરીક કલેહ જોવામાં આવી રહ્યો છે તેને જોતા પ્રદેશનું રાજકારણ પણ ગરમાયેલું છે.

આ પણ વાંચો…An Enchanting Evening: Ek Shaam Lafzon ke Naam – A Tribute to Kargil Survivors and Martyrs

જૂથ વાદનો ભોગ બન્યા હોય તેવી પણ અટકળોનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. એક પછી એક રાજીનામાં પડતા આ મહત્વનો ઘટના ક્રમ કહી શકાય છે. વડોદરાના રાજકારણમાં તેઓ સક્રીય રીતે નિભાવી ચૂક્યા છે. ત્યારે અચાનક તેમના રાજીનામાંથી અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે.

રાજીનામું આપી દીધું કે લઈ લેવામાં આવ્યું તે અંગે અટકળો પણ છે. તેમને અંગત કારણોથી રાજીનામું આપી દીધું છે. જૂથ વાદનો ભોગ બન્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અગાઉ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું રાજીનામું લઈ લેવાયું હતું. જો કે, સુનિલ સોલંકીને સારો એવો સંગઠનનો અનુભવ પણ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

CM પટેલનું મંત્રી મંડળ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ, 3 પાટીદાર, 7 ઓબીસી, 1 મહિલા મંત્રી, 10ના પત્તા કપાયા.

elnews

ગાંધીનગરની પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં ૭-૭ એમ કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યા

elnews

પતિ-પત્ની હવન કુંડમાં પોતપોતાના મસ્તકની પૂજા કરે છે

elnews

Leave a Comment

error: Content is protected !!