33.6 C
Gujarat
May 21, 2025
EL News

કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

Share
 Ahemdabad, EL News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે.
Measurline Architects
તેજસ્વી યાદવના ગુજરાતીઓને ઠગ કહેવા મામલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ફરીયાદીએ તેજસ્વી યાદવના ગુજરાતી ઠગ કહેવાના મામલે ગુજરાતીઓની લાગણી દુભાઈ છે અને ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી તેની સાથે સરખાવીને અગાઉના નિવેદનના આધારે ફરીયાદ કરી છે. અગાઉની 20 મેની સુનાવણી સાક્ષીઓએ તેમના નિવેદનમાં પણ ગુજરાતીઓનું અપમાન છે તેમ જણાવ્યું હતું.

તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલી ફરીયાદ મામલે ફરીયાદીએ કહ્યું હતું કે, દો ગુજરાતી ઠગ હે આ નિવેદનથી ગુજરાતી તરીકે દુખ થાય છે. આ તમામ ગુજરાતીઓનું અપમાન છે. માનહાનિ કેસ મામલે  બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાતીઓને ઠગ કહેવાના મામલે કોર્ટમાં આજે મહત્વની સુનાવણી 20 મે બાદ હાથ ધરાશે આ પહેલા 8 મેના રોજ પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો…  હીરા કારીગર મોરાડિયા બાદ હવે તેમની દીકરીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

26 એપ્રિલે તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. 1 મેના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બીજી સુનાવણીમાં મેટ્રોપોલિટન કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. આ માનહાનિ કેસમાં સાક્ષીઓની પૂછપરછ અગાઉ 20મેના રોજ કરવામાં આવી હતી. ત્યારે  આજે મહત્વની સુનાવણી થવાની છે. ત્યારે આજની સુનાવણીમાં કોર્ટ નક્કી કરી શકે છે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવશે કે નહીં.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ: વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ

elnews

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડશે?

elnews

કતારગામના આદિનાથ એપાર્ટમેન્ટમાં 64 ફ્લેટ સીલ જાણો કારણ

elnews

Leave a Comment

error: Content is protected !!