EL News

દિવાળી પર ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ

Share
Ahmedabad :

દિવાળી પર રાજ્યમાં ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ આઠ લોકો છે જેમને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં દાઝી જવાના 46 કેસ નોંધાયા છે.

PANCHI Beauty Studio
Advertisement

છેલ્લા બે દિવસમાં દાઝી જવાના અને અકસ્માતના કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 23 ઓક્ટોબરે 16 ઓક્ટોબરે અને 24 ઓક્ટોબરે 30 મળીને કુલ 46 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો…  આ રીતે ઘરે જ તૈયાર કરો હેલ્ધી પિઝા બેઝ, સ્વાદમાં વધારો થશે

અમદાવાદમાં આ વિસ્તારોમાં બની દાઝી જવાની ઘટનાઓ

જેમાં અમદાવાદના રામોલ, વટવા અને સીટીએમ એક્સપ્રેસ રોડ વગેરે વિસ્તારોમાં આવા કિસ્સા સામે આવ્યા છે. આ બે દિવસ દરમિયાન બનેલા બનાવોમાં પૂર્વ વિસ્તાર અમદાવાદમાં ઘણા બનાવો જાઝવાના બન્યા હતા. વટવા વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે 25 વર્ષીય મહિલા ઘાયલ થઈ હતી. ઓઢવ વિસ્તારમાં પણ રોડ પર ફટાકડા ફોડવાને કારણે 65 વર્ષીય આધેડને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ રીતે અમદાવાદમાં દિવાળીના દિવસે આઠ લોકો દાઝી ગયા હતા જેથી તેમને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી વિદ્યામંદિર – અમદાવાદના ભૂલકાઓની સ્વચ્છાગ્રહી સેવા

elnews

સુરત: પીપલોદમાં કરંટ લાગતા કડિયા કામ કરતા યુવકનું મોત

elnews

અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, કેટલા નવા નોંધાયા મતદારો

elnews

Leave a Comment

error: Content is protected !!