29.7 C
Gujarat
May 15, 2025
EL News

સુરત – ઈસ્કોન અકસ્માતને લઈને હર્ષ સંઘવીએ કહ્યું, 7 દિવસ પહેલા ચાર્જસીટ પૂર્ણ કરાશે

Share
 Surat, EL News

અમદાવાદ ઈસ્કોનમાં 9 લોકોના કમકમાટી ભર્યા અકસ્માતમાં મોત મામલે હર્ષ સંઘવીએ એક્શનમાં જોવા મળી રહ્યા છે. પ્રથમ દિવસથી જ તેમણે આ મામલે ચાર્જસીટ 7 દિવસમાં ફાઈલ કરવા અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા મામલે નિવેદન આપ્યું હતું ત્યારે ફરી એકવાર તેમનું નિવેદન આ મામલે સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ કેસમાં 7 દિવસ પહેલા ચાર્જસીટ પૂર્ણ કરાશે.
PANCHI Beauty Studio
આ અકસ્માતની પ્રથમ ઘટના છે કે, આ અકસ્માતની ઘટનામાં ડીજીપીને મોકલવામાં આવ્યા હતા. ખાસ સરકારી વકીલ રોકવામાં આવશે. આરટીઓ, એફએસએલના રીપોર્ટ આવી ગયા છે. આ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેમણે સુરતમાં મીડિયા સમક્ષ કરેલા નિવેદનમાં કહ્યું હતું. પિતા અને પુત્ર પર કડક કાર્યવાહી કરાશે. આ કેસમાં છૂટછાટ નહીં અપાય.

7 દિવસમાં ચાર સ્પેશિયલ પીપી રોકવામાં આવ્યા છે. 48 કલાક પહેલા તમામ કામગિરી પૂર્ણ કરવામાં આવશે.7 દિવસ પહેલા ચાર્જસીટ પૂર્ણ કરીને કામગિરી ચાલું છે. તેમ હર્ષ સંઘવીએ આ કેસ મામલે તેમનું નિવેદન સુરતમાંથી એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સમક્ષ પૂછાયેલા સવાલના જવાબ રુપે આપ્યું હતું.

આ પણ વાંચો… ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું કામ

જેગુઆક કાર ગમખ્વાર સ્પીડમાં ચલાવીને અકસ્માત નિપજાવનાર તથ્યના ગઈકાલે જ ત્રણ દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા છે. આ મામલે ગૃહ વિભાગે સીટની પણ રચના કરી છે. જેનો રીપોર્ટ પણ તેઓ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આ મામલે આગામી સમયમાં ઝડપી પરીવારનો ન્યાય મળે તે દિશામાં ગૃહ વિભાગ કામ કરી રહ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

elnews

મહીસાગર નદીમાં ઘોડાપુર, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ.

elnews

નવા વર્ષથી રાજકોટથી દિલ્હી અને મુંબઈના જવા ૯૧ ફ્લાઇટ

elnews

Leave a Comment

error: Content is protected !!