32.6 C
Gujarat
April 27, 2024
EL News

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ માર્ગ બંદ

Share
 Rajkot, EL News

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે હવે સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કર મારવુ પડશે. બ્રિજના કામ સબબ સાંઢીયા પુલથી આગળ ડાયવર્ઝન અપાયું છે.

PANCHI Beauty Studio

જેથી વાયા શીતલ પાર્ક થઈને જ માધાપર ચોકડી જઈ શકાશે. અંદાજે 20 દિવસ પળોજણ સહન કરવી પડશે. માધાપર ચોકડીએ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. અગાઉના તંત્રના અનેક વાયદાઓ ખોટા પડી રહ્યા છે. કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય, બ્રિજની નીચેનો રસ્તો પણ માંડ ખુલ્યો હતો. તેવામાં ફરી કામ શરૂ કરવાનું હોવાથી સાંઢીયા પૂલથી માધાપર ચોકડીએ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ રોડ ઉપર વચ્ચેની બાજુ ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યું છે. જેથી હવે સાંઢીયા પુલથી માધાપર ચોકડીએ જવા માટે વાયા શીતલ પાર્ક જવું પડશે. જો કે હાલ તંત્ર દ્વારા 20 ક દિવસ આ રસ્તો બંધ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો… કાળા ચણાના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે!

પણ હકીકતમાં આ રસ્તો ક્યાં સુધી બંધ રહેશે અને ક્યાં સુધી વાહનચાલકોને હાલાકી વેઠવી પડશે તે જોવું રહ્યું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત

elnews

લઠ્ઠાકાંડ: ભોગ લેનાર કેમિકલ કાંડમાં સમીર પટેલને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન.

elnews

અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો ૨૦૨૩નો પિકોક એવોર્ડ

elnews

Leave a Comment

error: Content is protected !!