27.4 C
Gujarat
April 27, 2024
EL News

સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ

Share
EL News

ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલને નેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોર્ચ્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા આ તમામ પ્રયાસો અંતરિયાળ વિસ્તારોમાં થઈ રહ્યા છે.

Measurline Architects

 

ગર્ભાવસ્થા અને માતૃત્વ સ્ત્રીના જીવનના સૌથી સુંદર તબક્કાઓ છે, પરંતુ જો એ સમયાનુસાર સારસંભાળ ન લેવાય તો તે ભયાવહ પણ થઈ શકે છે. નર્મદા જિલ્લાના વહિદાબેન જયમલભાઈ વસાવા ગત વર્ષે સગર્ભા હતા ત્યારે તેમની ચિંતાનો પાર ન હતો, કારણ કે કસુવાવડમાં તે પ્રથમ બાળક ગુમાવી ચૂક્યા હતા. વહિદાબેન જણાવે છે કે “સિકલ સેલ એનિમિયાને કારણે મને પીડાદાયક કસુવાવડ થઈ હતી. જ્યારે મને સગર્ભા હોવાની જાણ થઈ ત્યારે હું બાળક અને મારા સ્વાસ્થ્ય વિશે ચિંતામાં ગરકાવ થઈ ગઈ હતી”.

વહિદાબેન જેવી અનેક ગ્રામીણ મહિલાઓ આવા જ પીડાદાયક સમયમાંથી પસાર થાય છે. આવી ચિંતાઓ ઘણીવાર સગર્ભાઓને બાળજન્મ પહેલાં, દરમિયાન અને પછી શું કરવું જોઈએ તે અંગેની જાગૃતિના અભાવનું પરિણામ છે. આ અંગે પરિણામલક્ષી સંવાદના ઉદ્દેશ્યથી દર વર્ષે 11 એપ્રિલને ભારતમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ મનાવવામાં આવે છે.

ધ ફોર્ચ્યુન સુપોષણ – અદાણી વિલ્મરની એક પહેલ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ભારતના આંતરિક ભાગોમાં ચલાવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ સગર્ભાઓને યોગ્ય આહાર, પોષણ, સરકારી યોજનાઓની સુવિધાઓથી પરિવારોને વાકેફ કરવાનો છે. વહિદાબેન જણાવે છે કે “હું 23 મહિનાની તંદુરસ્ત બાળકીની માતા છું. સુપોષણ સંગિની અનિષાબેન વસાવાની હંમેશા આભારી રહીશ કારણ કે તેઓ મારી ગર્ભાવસ્થા દરમિયાન અડીખમ ઉભા રહ્યા”.

અનિષાબેન નિયમિત કાઉન્સેલિંગ અને ફોલો-અપથી લઈને સ્ટ્રેસ રિડક્શન ટેકનિક સુધી ગર્ભાવસ્થા દરમિયાન વહિદાના સંગીની બનીને ઉભા રહ્યા. અનીષાબેન જણાવે છે કે “વહિદાબેનને સિકલ સેલ એનિમિયા હોવાથી તેમનું વજન ખૂબ જ ઘટી રહ્યું હતું અને તેમના હિમોગ્લોબિનનું સ્તર લગભગ 10% સુધી નીચે આવી ગયું હતું, જેનાથી તેમના પતિ અને સાસરિયાઓ ડરી ગયા હતા.”

તેઓ ઉમેરે છે કે “બીજી વારની ગર્ભાવસ્થા દરમિયાન અદાણી ફાઉન્ડેશને વહિદાબેન અને તેમના પરિવારને સહાય અને પરામર્શ આપવા માટે પગલું ભર્યું, જેમાં નિષ્ણાતોની સલાહ-સારવાર, પરિવારને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરતા શીખવવું અને પ્રાણાયામ જેવી તણાવ ઘટાડવાની તકનીકો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જ્યારે અમે વહિદાબેનનું બાળક જોયું ત્યારે અમારી ખુશીનો પાર ન હતો”.વર્ષોથી આ પહેલ હેઠળ અનેક સુપોષણ સંગિનીઓ યુવાન માતાઓ સાથે અવિરત કામ કરી રહી છે અને તેમને પ્રસૂતિ પહેલા અને પોસ્ટ-નેટલ કેર વિશે માર્ગદર્શન પૂરું પાડી રહી છે.

આવો જ કિસ્સો ગુજરાતના રાજપીપળાની એક યુવાન માતા પ્રિયંકાબેન અનિલભાઈ વસાવાનો છે. તેમને પ્રથમવાર પ્રેગનન્ટ હતા ત્યારે જાણ થઈ કે તેમની ગર્ભાવસ્થા હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી ઝોન હેઠળ આવે છે. જ્યારે સુપોષણ સંગિની રક્ષાબેન વલવીને તેની જાણ થઈ ત્યારે તેમણે સુરક્ષિત અને તંદુરસ્ત પ્રસૂતિનું બીડું ઝડપી લીધું.

રક્ષાબેન જણાવે છે કે “પ્રિયંકાબેનના બ્લડ મેડિકલ રિપોર્ટ્સમાં ઉચ્ચ જોખમો હતા કારણ કે તેમનું હિમોગ્લોબિન સ્તર ઘટીને 9.2 થઈ ગયું હતું, અને તેમનું વજન 35 કિલોની નજીક હતું. અમે તેમને કિચન કીટ આપી જેથી પરિવારને યુવાન માતાને પૌષ્ટિક આહાર ખવડાવવામાં મદદ મળે,”

આ પણ વાંચો…આ વખતે ઈદ પર ટ્રાય કરો સ્વાદિષ્ટ કિમામી સેવઈ, જાણો રેસિપી

જો કે આઠમા મહિનામાં તેનું બ્લડપ્રેશર વધી ગયું અને તેને સમય પહેલા ડિલિવરી થઈ ગઈ. નવજાત શિશુને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકનું વજન ઘટીને 1.7 કિલો થઈ ગયું હતું. રક્ષાબેને નવી મમ્મીને અથાક ટેકો આપ્યો અને નવજાત શિશુને તંદુરસ્તી આપી. હાલ બાળકનું વજન લગભગ 5.5 કિલો અને પ્રિયંકાબેનના લોહીના રિપોર્ટમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

પ્રિયંકાબેન અને તેમના પતિ જણાવે છે કે “અમારા જીવનના મુશ્કેલ તબક્કામાં મદદ કરવા બદલ અમે રક્ષાબેન અને અદાણી ફાઉન્ડેશનના ખૂબ આભારી છીએ. રક્ષાબેન અને તેમની ટીમ અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે એટલું જ નહીં, તેઓએ અમને પોષણનું મહત્વ અને તે ઘરમાં જ મેળવવાની રીતો શીખવી છે.”

ભારતમાં દર વર્ષે 3 કરોડથી વધુ મહિલાઓ માતા બને છે, જેમાંથી દર વર્ષે 45,000થી વધુ મહિલાઓનું પ્રસવ દરમિયાન મોત થાય છે. માતૃ મૃત્યુદરના વૈશ્વિક આંકડાઓ તો તેનાથી પણ વધુ અને મોટી ચિંતાનું કારણ પણ છે. એવામાં સુરક્ષિત માતૃત્વ માટે ચલાવાઈ રહેલા આવા કાર્યક્રમો અનેક મહિલાઓ માટે વરદાનરૂપ છે.

 

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,675 ગામડાઓમાં કાર્યરત છે, જે 7.6 મિલિયન લોકોને સ્પર્શે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનને શિક્ષણ મંત્રીના હસ્તે અપાયું સન્માન

elnews

અમદાવાદમાં ભાજપના પ્રમુખ પર AAPના કાર્યકરનો હુમલો

elnews

પાર્થ ચેટર્જી અને તેમની સહયોગી અર્પિતા મુખર્જી વિશેના તાજેતરના ઘટસ્ફોટ..

elnews

Leave a Comment

error: Content is protected !!