EL News

વડોદરા: નાગરવાડામાં મહાકાય વડ વૃક્ષ પડતા 4 લોકો દબાયા

Share
Vadodara, EL News

બિપરજોય વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં પણ જોવા મળી છે. વાવાઝોડાના કારણે વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે નાગરવાડા વિસ્તારમાં એક મહાકાય વડ વૃક્ષ ધરાશાયી થતા 4 લોકો, એક રિક્ષા અને 2 ટુ-વ્હિલર તેની નીચે દબાયા હતા. સાથે જ વૃક્ષ પાસે આવેલું મકાન પણ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતી મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે વૃક્ષ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Measurline Architects

ખાટલામાં સુવડાવી રેસ્ક્યૂ કરાયું

વડોદરામાં શુક્રવારે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ નાગરવાડા વિસ્તારમાં એક મહાકાય વડ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ નીચે 4 લોકો દબાઈ ગયા હતા. જો કે, સ્થાનિક લોકો દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જ સ્થાનિકો દ્વારા વૃક્ષ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ખાટલામાં સુવડાવી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો…  જખૌથી 180 કિમી દૂર બિપોરજોય આવતા પહેલા ગુજરાતમાં ઘેરી ચિંતા,

એક રિક્ષા અને 2 ટુ-વ્હિલર પર દબાયા

આ મહાકાય વડ વૃક્ષ નીચે એક રિક્ષા અને 2 ટુ-વ્હિલર પર દબાયા હતા. ઉપરાંત, વૃક્ષની પાસેનું મકાન પણ ધરાશાયી થયું હતું. આ મકાનમાં એક મહિલા હતા જે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, ચાર-પાંચ દિવસથી વડલો થોડો-થોડો નમતો હતો. અમે ફરિયાદો પણ કરી હતી, પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બુધવારે રાજકોટ બસ માં મહિલાઓને મફત મુસાફરી

elnews

જન્મ દિવસની અનોખી ઉજવણી : ગોધરા

elnews

રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

elnews

Leave a Comment

error: Content is protected !!