27.4 C
Gujarat
April 27, 2024
EL News

કોરોનાને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Share
Rajkot, EL News

કોરોનાથી ડરવાની જરુર નથી કોરોના એક જીવનનો એક ભાગ છે. તેમ રાજકોટમાં કોરોના મામલે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કોરોનાના કેસોમાં જોવા મળી રહેલી વધઘટને લઈને આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

PANCHI Beauty Studio

કોરોનાથી ડરવાની જરુર નથી તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરુર છે તેમ તેમણે સજેશન આપ્યું હતું.

વેક્સિનને લઈને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી. વેક્સિનના જથ્થાની માંગણી કેન્દ્ર પાસેથી માંગી છે જ્યારે આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ આ વાત કહી હતી.

આ પણ વાંચો…આ રીતે તૈયાર કરો ટેસ્ટી દલિયા લાડુ, જાણો રેસીપી

ગુજરાતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. એક્ટિવ કેસનો આંકડો પણ વધી રહ્યો છે. સક્રિય કેસની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી વધી રહી છે. ત્યારે આ વીકમાં કેટલાક પેશન્ટના મૃત્યુ પણ થયા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસો સામે આવ્યા છે.

આ ઉપરાંત કોરોનાને લઈને 10 એપ્રિલના રોજ હોસ્પિટલમાં મોક ડ્રીલ પણ યોજવામાં આવશે. જેમાં હોસ્પિટલમાં તમામ સાધનો, ઓક્સિજન પ્લાન્ટ વગેરે બાબતે ચકાસણી કરવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ – ભરતસિંહનું દિવાલ પર નામ લખ્યુ

elnews

રાજકોટમાં ડેંગ્યૂના ૧૬ કેસ નોંધાતા, તંત્ર દોડતું થયું

elnews

વ્યાજના દૂષણને દુર કરવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ

elnews

Leave a Comment

error: Content is protected !!